Posts

Showing posts from May, 2021

Dashavatar Ni Aarti દસ અવતારની આરતી

Image
  ભગવાન વિષ્ણુ ના દાસ અવતાર ની આરતી ભગવાન શ્રીહરિ વિષ્ણુએ ધર્મની રક્ષા માટે દરેક યુગમાં અવતાર લીધા છે. પૌરાણિક માન્યતાઓ અનુસાર, ભગવાન શ્રીહરિ વિષ્ણુના કુલ ૨૪ અવતારો છે, તેમાંથી ૧૦ મુખ્ય અવતારો માનવામાં આવે છે . જે ભગવાન વિષ્ણુના દશાવતાર તરીકે હિન્દુ ધાર્મિક ગ્રંથોમાં પ્રખ્યાત છે . આજે તમને ભગવાન વિષ્ણુના દશાાવતાર ની આરતી જણાવવા માંગીયે  છીએ.આ આરતી અપને મુખ્ય તઃ જન્માષ્ટમી અને રામ નવમી ના દિવસે સાંભળતા હોયીયે છીએ ||   દસ અવતા આરતી || જય માધવ રાયા ,  પ્રભુ શ્રી માધવરાયા   (૨)  | આરતી કરીયે કરુણાનંદન   (૨) ,    વ્યાપે નહીં માયા  ||  જય દેવ જય દેવ ... પ્રથમે મત્સ્ય તણો અવતાર ,  માર્યો શંખાસુર પાપી (૨)  | ચતુરાનંદન દેવ (૨) ,  વેદ વિપ્રોને આપી ...    ||     જય દેવ જય દેવ ... બીજે સુર ને અસુર મળ્યા ,  સાગર મથવાને કાજે (૨)  | વાંસા પાર ધર્યો મંદ્રાચલ (૨) ,  કશ્યપ મહારાજે ...  ||     જય દેવ જય દેવ ... ત્રીજે હિરણ્યાક્ષ બળીભૂપ ,  દમતો પૃથ્વીનો પાપી (૨)  | દાઢ ગ્રહી લાવ્યા વારાહસુર (૨) ,  અવની સ્થિર સ્થાપી  ||  જય દેવ જય દેવ ... ચોથે નરશિંહનો અવતાર ,  સેવક પોતાનો જાણી (૨)  | નાખે કરી સંહાર્યા નરહ

Gayatri Mantra Meaning ગાયત્રી મંત્ર અને એનો અર્થ

Image
|| GAYATRI MANTRA || ગાયત્રી મંત્રનો ઉલ્લેખ ઋગ્વેદનાં ત્રીજા મંડળમા મળી આવે છે. કહેવામાં આવે છે કે માતા ગાયત્રી એ માતા સરસ્વતી નુજ એક રૂપ છે. સરસ્વતી  માતાએ સૂર્યદેવની આરાધના કરવા માટે ગાયત્રી મંત્રની રચના કરી હતી. સરસ્વતી માતાએ ગાયત્રી મંત્રનું સર્જન કર્યું , અને એ મંત્રને વાસ્તવિક રૂપ આપવા માટે ગાયત્રી માતાનું સ્વરૂપ ધારણ કર્યું . ગાયત્રી માતાને આપણી વેદમાતા પણ કહેવા ય  આવે છે. ગાયત્રી મંત્ર ના ઉચ્ચારણ થી તમે તમારા મન અને શરીર ને દોષ મુક્ત કરી શકો છો. તેના સદંતર ઉપયૉગથી તમે તમારા જીવન ને સુખી અને સમૃદ્ધ બનાવી શકો છો. ગાયત્રી મંત્ર અને એનો અર્થ અપને વિસ્તારમાં જોઈએ. ૐ ભૂર્ભુવ: સ્વઃ તત્ સવિતુર્વરેણ્યમ્  | ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત્ | | ॐ भूर्भुवः स्वः तत् सवितुर्वरेण्यं । भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् ॥   oṃ bhūr bhuvaḥ svaḥ tat savitur vareṇyaṃ. bhargo devasya dhīmahi dhiyo yo naḥ pracodayāt. Gujrati Meaning ( ગુજરાતી અર્થ ) પદાર્થ, ઊર્જા, અન્તરિક્ષ અને આત્મામાં વિચરણ કરવા વાળા તે પ્રેરક, પૂજ્ય, શુદ્ધ સ્વરૂપ દેવતાનું અમે ધ્યાન કરીએ અને તે અમારી બુદ્ધિને સારાં

Vishwambhari Stuti વિશ્વંભરી સ્તુતિ

Image
  અંબે સ્તુતિ - વિશ્વંભરી અખિલ વિશ્વતણી જનેતા વિશ્વામ્ભરી મા એ સમગ્ર બ્રહ્માંડનું  સર્જન કર્યું છે. તેઓએ બ્રમ્હા વિષ્ણુ અને મહેશ ની પણ રચના કરી છે .  તે સર્વોચ્ચ છે. માતા કહે છે " અસલ મંદિર તમારી અંદર છે. બાહ્ય વિશ્વમાં તેની શોધ કરવાનું બંધ કરો. તમારા કાર્યો અને મૂલ્યો દ્વારા તમે તમારા ઘરને મંદિર બનાવી શકો છો. અંધશ્રદ્ધા અને અંધ વિશ્વાસ છોડી દો. તમારા કર્મ સૌથી ન્યાયીપૂર્ણ રીતે કરો ." હવે આપડે વિશ્વામ્ભરી માં ની સ્તુતિ જોયીયે || જય માં અંબા ભાવની || વિશ્વંભરી અખિલ વિશ્વતણી જનેતા, વિદ્યા ધરી વદનમાં વસજો વિધાતા | દુર્બુદ્ધિને દુર કરી સદ્બુદ્ધિ આપો, મામ્ પાહિ ઓમ ભગવતિ ભવદુઃખ કાપો || ભુલો પડી ભવરણે ભટકુ ભવની, સુઝે નહી લગિર કોઈ દિશા જવાની | ભાસે ભયંકર વળી મનના ઉતાપો, મામ્ પાહી ઓમ ભગવતિ ભવદુઃખ કાપો || આ રંકને ઉગરવા નથી કોઈ આરો, જનમાન્ધ છું જનની હુ ગ્રહિ બાળ તારો | ના શું સુણો ભગવતિ શિશુ ના વિલાપો, મામ્ પાહિ ઓમ ભગવતિ ભવદુઃખ કાપો || મા કર્મ જન્મ કથની કરતા વિચારૂં, આ સૃષ્ટિમં તુજ વિના નથી કોઈ મરૂં | કોને કહું કઠણ યોગ તણો બળપો, મામ્ પહિ ઓમ ભગવતિ ભવદુઃખ કાપો || હું કામ ક્રોધ મદ મ